Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જામનગર-૧૧, પોરબંદર-૪, ગીર સોમનાથ-૩, મોરબીના ર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મોકલાયા

જામનગર તા.૮ : જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે વધુ ર૦ સેમ્પલના કોરોના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.

જેમાં જામનગરના ૧૧, પોરબંદરના ૪, ગીર સોમનાથનાં ૩ અને મોરબીના ર સહિત ર૦ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ ઉપરાંત પોરબંદરનો એક રિપોર્ટ રીપીટ પરિક્ષણ માટે મોકલેલ છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ સાંજે આવશે.

(12:55 pm IST)