Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નખત્રાણાના અમરગઢ પાસે કાર પલ્ટી ખાઈ જતા બે યુવાનોના કરૂણમોત :ચાર લોકો ઘાયલ

લોરિયા અને ભુજના યુવકોનાં મોતથી પરિવારજનોમાં શોકઃનો માહોલ

નખત્રાણાના અમરગઢ પાસે કાર પલટી જતા બે યુવાનોના મોત નિપજ્યાં હતા. લોરિયા અને ભુજના યુવકોનાં મોતથી પરિવારજનોમાં શોકઃનો માહોલ થયો છે. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

નખત્રાણાની પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા નજીક અમરગઢ ગામે સર્જાયેલાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યાં છે. તો, અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ભુજની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ હતભાગીઓ અન્ય પરિચિતો સાથે ઈન્ડિકા કારમાં લોરિયા ગામથી દેશલપર ગુંતલી તરફ લગ્નમાં જતા હતા. ત્યારે અમરગઢના પુલીયા પર કાર પલટી ગઈ હતી.અકસ્માતમાં ભુજના જેષ્ઠાનગરમાં રહેતા મહેશ શાંતિલાલ પોકાર (ઉ.વ.30) અને લોરિયા ગામના શિવુભા હેમરાજજી જાડેજા (ઉ.વ.22)ના મોત નીપજ્યાં હતા. બંનેને અતિગંભીર હાલતમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લવાયાં હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.બનાવ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

(2:33 pm IST)