Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ભાણવડ પેન્શનર સમાજનું શહીદ વેલ્ફેર ફંડમાં યોગદાન :

ભાણવડ : પેન્શનર સમાજ દ્વારા શહીદોના પરિવારને મદદરૂપ થવાના શુભ હેતુથી રૂ. ૧૫,૫૫૫/- જેવી રકમ એકત્રિત કરી શહીદ વેલ્ફેર ફંડમાં જમા કરાવેલ છે. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના વિર જવાનો શહીદ થતાં તેઓના પરિવાર પર આભ તુટી પડેલ છે દેશભરમાંથી આ પરિવારો માટે સહાયનો ધોધ વહી રહયો છે ત્યારે ભાણવડ પેન્શનર સમાજે પણ આ વેલ્ફેર ફંડમાં ફુલ નહી તો ફુલની પાંખડી તરીકે રૂ. ૧૫,૫૫૫/- જેવી રકમ એકત્રિત કરી જમાં કરાવેલ. આ તકે પેન્શનર સમાજના પ્રમુખ કાલીદાસ કે. સાપરીયા, મહામંત્રી રણછોડભાઇ ડી. વૈશ્નાણીએ આમ જનતાને આ ભારતના શહીદ વિર જવાનોના પરિવારને મદદરૂપ થઇ નૈતિક ફરજ બજાવવા અપીલ કરેલ છે તે પ્રસંગની તસ્વીર.

(1:50 pm IST)