Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પાસે 3.5 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો સાત સેકન્ડ ધ્રુજારી અનુભવાઈ

ગીર સોમનાથ જિલ્લા ના આ બધું તાલાળા થી ૧૦ કિમી દૂર આજે બપોરે  કલાક ૧૨-૦૫  મિનિટે 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : અનુભવાયો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે સાત સેકન્ડ સુધી  ધ્રુજારી અનુભવાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે ઘણાં લાંબા સમય પછી 3.5 ની તીવ્રતાનું ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતા જોકે જાનહાનિ કે નુકસાન ના સમાચાર નથી આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિમી દૂર દક્ષિણ દિશા તરફ નોંધાયું છે તેમ ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફ સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે

(1:25 pm IST)