Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કચ્છમાં સ્વાઇન ફલુથી ર, ભાવનગરમાં ૧નું મોત

ગોહિલવાડમાં મૃત્યુઆંક ૪૩- કચ્છમાં ૧૧નો ભોગ લેવાયો

રાજકોટ તા.૮: સ્વાઇન ફલુના કારણે કચ્છમાં ર વ્યકિતના જયારે ભાવનગરમાં એકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ભુજ

ભુજઃ રાજ્યની સાથે કચ્છમાં પણ સ્વાઇન ફલુનો હાહાકાર જારી છે. રાપરના સુવઇ ગામની ૪૫ વર્ષીય મહિલા અને ભચાઉના કંથરોટ ગામના ૫૩ વર્ષીય પુરૂષનું સ્વાઇન ફલુથી મોત નિપજતાં બે મહિનાનો મૃત્ય આંક ૧૧ થયો છે. પોઝિટીવ દર્દીની સંખ્યા ૧૬૧ થઇ છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં સ્વાઇન ફલુથી વૃદ્ધાનું મોપ નિપજયું છે. આ સાથે ભાવનગરમાં સ્વાઇન ફલુથી મૃત્યુઆંક ૪૩ થયો છે અને વધુ પ પોઝિટીવ કેસ નોંધાતા કુલ પોઝિટીવની સંખ્યા ૧૬૫ એ પહોંચી છે.

ભાવનગરમાં સ્વાઇન ફલુનો પ્રકોપ હજુ ઘટવાનું નામ લેતો નથી. આજુ વધુ પાંચ પોઝિટીવ કેસ નોંધાયા છે અને જિલ્લામાં તળાજાનાં પીપરલા ગામથી ૭૦ વર્ષની વૃદ્ધાનું મોત નિપજતા ચાલુ સીઝનમાં સ્વાઇન ફલુથી મૃત્યુઆંક ૪૩ થયો છે. કુલ પોઝિટીવ ૧૬૫ થયો છે જયારે ૮૮ને રજા અપાઇ છે. હાલમાં રપ દર્દીઓ સારવારમાં છે.(૧.૧૧)

(12:05 pm IST)