Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

બુધવારે પૂ. મોરારીબાપુની હાજરીમાં વાંકાનેરનાં પંચાશીયામાં સર્વધર્મ સમભાવ સંમેલન

મોમીન સમાજનાં ધર્મગુરૂ સહિતના ઉપસ્થિત રહેશેઃ તડામાર તૈયારી

પંચાશીયા તા.૮: વાંકાનેર તાલુકાનાં પંચાશીયામાં તા. ૧૩ને બુધવારે પૂ. મોરારીબાપુ તથા મોમીન સમાજના ધર્મગુરૂઓની ઉપસ્થિતિમાં સર્વધર્મ સમભાવ સંમેલનનું આયોજન કરાયું છે.

વાંકાનેરથી ૧૦ કિ.મી. દૂર આવેલા પંચાશીયા ખાતે આયોજીત સંમેલન માટે ડો. હાજીભાઇ બાદી, સરપંચ ઇરફાનભાઇ ચોૈધરી સહિતનાની આગેવાનીમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે.

પંચાશીયા ગામની સહયોગ વિદ્યાલય ખાતે આયોજીત આ સંમેલનમાં પૂ. મોરારીબાપુ, મોમીન સમાજના ધર્મગુરૂ અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મીર સાહેબ પીરઝાદા (ખુરશીદ હૈદર પીરઝાદા) સહિતના હાજરી આપશે.

કોમી એકતાના પ્રતિક સમા આ સર્વધર્મ સમભાવ સંમેલનનું મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી વંદના અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગત માટે ટો. હાજીભાઇ બાદી (મો. ૯૪૨૬૯ ૩૦૩૮૧) (મો. ૮૧૪૧૨૧૫૦૯૫),  સરપંચ ઇરફાનભાઇ ચૌધરી (મો. ૯૯૭૪૯ ૪૭૦૪૭) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૧.૧૨)

(12:03 pm IST)