Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

બાવકુભાઇ ઉંઘાડની રજુઆત ફળી : વડિયામાં જજની નિમણૂંક

વડિયા, તા. ૪ :  અમરેલી જીલ્લાના વડિયા કોર્ટમાં જજની ખાલી જગ્‍યા હતી તે ભરવા માટે રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંઘાડ દ્વારા રજુઆત કરવામાં આવી છે અને આજે આ રજુઆત ફળી છે અને રાજય સરકાર દ્વારા આજે જજની નિમણુંક કરવામાં આવી છે.

વડિયામાં રવિકુમાર રાજેશભાઇ પરમારની વરણી કરવામાં આવી છે.

આ અગાઉ બાવકુભાઇ ઉંઘાડે રાજયના હાઇકોર્ટના રજીસ્‍ટ્રાર જનરલને પત્ર પાઠવીને વડિયા ન્‍યાય મંદિરમાં ખાલી જગ્‍યા ભરવા માંગ કરી હતી. જે સફળ થઇ છે.

(12:01 pm IST)