Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

લગ્નનાં ચોથા દિવસે જામનગરમાં નવોઢા ઉપર જીવલેણ હુમલો

જામનગરઃ લગ્ના ચોથા દિવસે જ નવોઢા ઉપર જીવલેણ હુમલો થતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે મેરિયા કોલોનીમાં પોતાના માતા પિતાને ત્યાં આવેલા વિજયાબેન રમેશભાઈ પરમાર પર ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સ દ્રારા હત્યા કરવાના ઈરાદેથી તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવતીના ગળાના ભાગે ચીરો પડી ગયો હતો. તેમજ કાન તથા માથાના ભાગે પણ ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. યુવતીના ચાર દિવસ પહેલા જ આરબલુસ ગામે લગ્ન થયા હતા અને પ્રથમ વખત જ પિયર આવી હતી. ત્યારે આ હુમલો થતા યુવતીના કોઈ પ્રેમ પ્રકરણ સંબંધે આ બનાવ બન્યો છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલાના કારણે પરિણીતા ખૂબ જ ડરી ગઇ છે અને હવે તેને દ્યરની બહાર નિકળવામાં પણ ડર લાગી રહ્યો છે. આ મામલે પોલીસે પરિણીતાના સાસરીયા તથા પિયર પક્ષના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

(7:54 pm IST)