Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જામનગરમાં ઇન્વેસ્ટર્સ એસોસીએનનુ સ્નેહમિલન

જામનગરઃ કુંવરબાઇની ધર્મશાળાના એ.સી.હોલ ખાતે હાલાર ઇન્વેસ્ટર્સ એસોસિએશનનો સ્નેહમિલનનો કાર્યક્રમ પ્રમુખ પંકજભાઇ આશરના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો સંસ્થાના મેમ્બર તેમજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કહ્યું કે હું ફકત ચુંટાઇને બેઠો નથી રહેતો પણ નાની-નાની બાબતો પર પણ લક્ષ રાખું છું! જેમ કે સન્માનમાં અનેક શાલો મને મળે છે જે જરૂરીયાતમંદો સુધી હું પહોંચાડુ છું. સ્વાગત પ્રવચન સેક્રેટરી ચંદ્રેશ કોટેચાએ કયુ હતુ જયારે પ્રાસંગીક વિગત એડવોકેટ અશકો નંદાએ આપી હતી પ્રમુખ પંકજ આશરે જણાવ્યુ કે આજ ભી મૈ વોહી પંકજ આશર હું જો બરસો પહેલે હુઆ કરતા થા'' સાંસદ પૂનમબેન માડમે જણાવ્યુ કે તમારા જે પણ કોઇ પ્રશ્ન હોય તો વિગતે મને જણાવજો તમારી વાચા હું સંસદ સુધી પહોંચાડીશ સંચાલન એચ.બી.મહેતાએ કર્યુ હતુ. આભારવિધિ કિરીટભાઇ કોટેચાએ કરી હતી ફિરોઝભાઇ વહેવારીયા, રશ્મિકાંત અગ્રાવત, અશોક અડાલજા, નૈષધ ચંદારાણા તેમજ અતુલ પૂજારાએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. મુંબઇથી વિજયભાઇ શ્રોફ તેમજ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલ પંકજ કોઠારી પણ હાજર રહ્યા હતા. પુનીતભાઇ જોષી તેમ જ પ્રોફેસર સારડા સાહેબે સુચનો કર્યા હતા. દિલિપભાઇ આશરની હાજરીની સંસ્થાએ નોંધ લીધી હતી. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(12:48 pm IST)