Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પતિ-પત્નીના રીસામણામાં ઉશ્કેરાયેલો જમાઇ બન્યો જમઃ રાપરના પદમપર ગામે પાટીદાર પ્રૌઢની જમાઇના હાથે સસરાની કરપીણ હત્યા

જમાઇ હીતેશ ચૌધરી સસરા વેલજી રણછોડ પટેલની કરપીણ હત્યા કરી ફરાર

 ભુજ તા.૮: રાપરના પદમપર ગામે પાટીદાર દંપતીના સાંસારીક જીવનમાં ચાલતા આંતરકલહ વચ્ચે પાટીદાર પ્રૌઢની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે.

પદમપર ગામે વાડીનુ રખોયુ કરતા ૪૮ વર્ષીય પ્રૌઢ વેલજી રણછોડ રાવરીયા (પટેલ)ની લોહીથી લથપથ લાશ મળી આવતા પોલીસને જાણ કરાતા પોલીસ દોડતી થઇ હતી. મૃતક પટેલ પ્રૌઢ વેલજીભાઇના શરીર ઉપર તીક્ષ્ણ હત્થયારોના ઉંડા ઘાના નિશાન મળી આવ્યા હતા

આ અંગે મૃતક પાટીદાર પ્રૌઢ વેલજીભાઇના ભાઇ નારાણ રણછોડ રાવરીયા (પટેલે) હત્યાના શકદાર તરીકે જમાઇ હિતેશ ચૌધરીનુ નામ આપ્યુ હતુ.

હત્યા કરનાર હીતેશ અને તેની પત્ની વચ્ચે ગૃહકંકાસ ચાલતો હતો અને પત્ની બે વર્ષ થયા માવતર રીસામણે હતી. આ બાબતે કોર્ટ કેસ પણ ચાલુ હતો.

હત્યાના આ બનાવ સંદાર્ભે શકદાર તરીકે જમાઇ હીતેશ ચૌધરીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હીતેશ હજુ ફરાર છે.

(11:46 am IST)