Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મંગળવારે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે

આટકોટ તા. ૮ : ઘેલા સોમનાથ મંદિરે મહા શિવરાત્રીની ભવ્ય ઉજ્જવણી કરવામં આવશે. મંદિર ટ્રસ્ટ અને દાતાના સહયોગીથી પ૦૦૦, પાંચ હજાર ભાવીકોને ફરાળની વ્યવસ્થા દર્શન માટે મંદિર ર૪ કલાક ખુલ્લુ રહેશે.

તા. ૧૩ ને મંગળવારે શિવનો તહેવર મહાશિવરાત્રી આવે છે.

આ શિવરાતરી નિમિતે શ્રી ઘેલ સોમનાથ મંદિરે ભવ્ય ઉજજવણી કરવામાં આવશે.

શ્રી ઘેલા સોમનાથ દાદાને ભવ્ય શણગાર કરવામાં આવશે દિવસ દરમ્યાન નીચે મુજબ ના પુજા - અર્ચના કરવામાં આવશે.

સવારે પ વાગ્યે મંગળા આરતી થશે

સવારે ૧૧ વાગ્યે મહાપુજા થશે

બપોરન ૧ર વાગ્યે મહા આરતી થશે

રાત્રી ચાર પ્હોરની પુજા આરતી થશે

સાંજે ૭ વાગ્યે આરતી થશે

રાત્રે ૯ વાગ્યે આરતી થશે

રાત્રે ૧ર વાગ્યે આરતી પુજા થશે

રાત્રે ર વાગ્યે પ્રારંભ થશે

સવારે પ વાગ્યે આરતી થશે

મહાશિવરાત્રી દરમ્યાન દિવસ સવારે ૯ વાગ્યે હોમાત્મક લઘુરૂદ્ર થશે. ગંગાતીથી જલ અભિષેક વિગેરે ધાર્મિક કાર્યકમો થશે.

બપોર ૧ વાગ્યે ભાવીકો ભુદેવો સાધુ સંતો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ફરાળની વ્યવસ્થા કરવામાં આવશે જો મહાશિવરાત્રીના ધાર્મિક કાર્યક્રમમાં જાહેર જનતાને લાભ લેવા મંદિર ટ્રસ્ટ વતી વહીવટદાર મનુભાઇ  એ આમંત્રણ પાઠવ્યું છે.

(11:42 am IST)