Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગાંધીધામમાં બાઇકે ઠોકર મારતા તેજાભાઇ મનાણીએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા.૮: ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે બાઇક ચાલકે ઠોકર મારતા વૃધ્ધને ઇજા થતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ ગાંધીધામ સદરવાડી સતવારા વાસમાં રહેતા તેજાભાઇ મમુભાઇ જાનાણી (ઉ.વ.૬૦) ચાર દિવસ પહેલા ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઇ બાઇક ચાલકે તેને ઠોકર મારતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ ગાંધીધામ બાદ વધુ સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ ઘેલુભાઇએ પ્રાથમિક કાગળો કરી ગાંધીધામ મોકલ્યા છે.

(11:39 am IST)