Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પાલીતાણાના ડમરાળા ગામમાં સાવજો દ્વારા ૩ ગાયનુ મારણ

ભાવનગર તા.૮: ભાવનગરના ગારિયાધર રૂપાવટી પાસે ડમરાળા ગામ આવેલ છે. જે પાલિતાણાથી લગભગ ૬ કિ.મી.ના અંતરે છે. શેત્રુંજીના કાઠા વિસ્તારમાં ગિરના કેસરી સાવજો છેલ્લા ઘણા સમયથી મારણ માટે જયા રહેઠાણ બનાવ્યું છે આ વિસ્તારમાં પુરતુ પાણી મળી રહેતું હોય અને સીમ ખેતરોમાં સહેલાઇથી મારણ મળી રહેવાથી આ વિસ્તારમાં સિંહઓએ પડાવ નાખ્યો છે.

મળતી માહિતી મુજબ ડમરાળા ગામે રબારી હમીરભાઇ મકવાણાની કાટાની ચોકમાં રાખેલ ગાયોને શિકાર કરવા આવી ચડયો હોવાનું કહેવાય છે. વહેલી સવારે ગામની મહિલાઓ કામકાજે ઘરની બહાર નીકળતા સાવજને જોયા હોવાનું કહેવાય છે. અને આ ગાયોનું મારણ પણ સાવજોએ કર્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાવજોએ કાટાની વાડ ઠેકી અંદર ઘુસી ત્રણ ગાયોનું મારણ કરી મીજબાની માણી હતી. આ મારણ રાત્રીના સમયે કરાયું હતું.

(11:38 am IST)