Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રવિવારે જેતપુર પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવઃ ૩૦ નવદંપતી લગ્નગ્રંથીથી જોડાશે

જેતપુર તા.૮: પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત ૩ર સફળ સમુહલગ્નના આયોજન બાદ આગામી તા.૧૧ને રવીવારના રોજ ૩૩મા સમુહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

આ સમુહ લગ્નમાં ૩૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યાઓને ચાંદીના સાકળા, સોનાનો દાણો, કબાટ, સેટી, પલંગ સહીત ઘરવપરાશની અનેક આઇટમો કરીયાવરમાં અપાશે.

સવારે જાન આગમન બાદ ૯-૩૦ કલાકે હસ્ત મેળાપ, ભોજન સમારંભ, રઃ૩૦ કલાકે જાન વિદાય કરવામાં આવશે.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પ.પૂ. સંતશ્રી દેવારામબાપા, જસુમતીબેન કોરાટ, રાજુભાઇ હિરપરા, ગોરધનભાઇ હીરપરા, મનસુખભાઇ ખાચરીયા, વિરજીભાઇ વેકરીયા, સુરેશભાઇ સખરેલીયા, જયંતિભાઇ રામોલીયા, હરીભાઇ આંબલીયા, અમૃતભાઇ કોટડીયા, કૈલાષભાઇ વૈશ્નવ, બાબુભાઇ દોંગા, કિરીટભાઇ બાલધા, પ્રવિણભાઇ ગજેરા સહિતના સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. સમુહલગ્નને સફળ બનાવવા પ્રમુખ  જગદિશભાઇ કોટડીયા, વજુભાઇ આંબલીયા, પરસોતમભાઇ માલવીયા, દિનેશભાઇ રાદડીયા, રતિભાઇ પાંભર, કાન્તીભાઇ પટોળીયા, સંજયભાઇ વઘાસીયા, વિનુભાઇ સીધ્ધપરા, હેમંતભાઇ બુટાણી, ભીખાભાઇ કયાડા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(11:34 am IST)