Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જૂનાગઢમાં કોથળામાં મળેલી લાશ પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલાઇ

હત્યાની આશંકા સાથે પોલીસ તપાસ

જૂનાગઢ તા. ૮: જૂનાઢમાં કોથળામાં મળેલી અજાણ્યા યુવાનની લાશ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપી પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ આગળ વધારી છે.

શહેરમાં મજેવડી દરવાજા બહાર મેડીકલ કોલેજ પાસે આવેલ સોરઠી નદીનાં પટમાં કોથળામાં બાંધેલી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.

આ માનવ મૃતદેહ અત્યંત કોહવાઇ ગયો હોય મૃત્યુનું કારણ જાણવા પોલીસ લાશને પી.એમ. માટે જામનગર રવાના કરી હતી.

પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ બનાવ હત્યાનો છે કે, આપઘાતનો તેની ખબર પડશે. જોકે પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)