Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

હર હર મહાદેવ... ગોંડલમાં મહા શિવરાત્રીએ મંગળવારે શિવ મંદિરોમાં ગૂંજશે જય જય કાર

અભિષેક,લઘુરૂદ્ર, આરતી,દિપમાળા,મહાપૂજાનો સૌ લેશે ધર્મલાભઃ ભીડભંજન મહાદેવ મંદિર ધૂન-સંકિર્તન,મહાઆરતી

ગોંડલ તા.૮: અહીયા  ગોંડલમાં પવિત્ર મહાશિવરાત્રીના દિને મંગળવારે ઠેરઠેર ભગવાન શ્રી શિવજીના મંદિરોમાં શિવ ભકતોની સવારથી જ પુજન-અર્ચન-દર્શન-આરતીઓ માટે પુરા દિવસ દરમ્યાન રાત્રી સુધી ખુબજ ભીડ રહેશે.

જેમાં પ્રસિધ્ધ શિવમંદિરો શ્રી સુરેશ્વર મંદિર, શ્રી ગોપનાથ મંદિર, પંચનાથ મંદિર, શ્રી નિલકંઠ મંદિર, શ્રી જાગનાથ મંદિર, શ્રી હાટકેશ્વર મંદિર, શ્રી કુબેરનાથજી, શ્રી મંગલેશ્વર, શ્રી પીપળેશ્વર, ગાયત્રીનગર શ્રી શિવ મંદિર, શ્રી રામેશ્વર મંદિર, શ્રી તત્રેશ્વર મંદિર, શ્રી ભીડભંજન મંદિર, શ્રી જડેશ્વર મંદિર, શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ, શ્રી બુઢેશ્વર મહાદેવ મંદિર, શ્રી ધારેશ્વર સહિતના તમામ મંદિરોમાં પુજારીઓ-ભુદેવો, મહંતો, ભકતો અભિષેક-લઘુરૂદ્ર,આરતીઓ, દિપમાળાઓ, મહાપુજાનો ધર્મલાભ આપે છે, શિવભકતો મેળવે છે.

અત્રે નોધનીય છે કે શ્રી શિવ પરિવાર દ્વારા શ્રી ભીડભંજન મહાદેવના મંદિરમાં રાત્રીના ૧૦ થી ૧૨ સુધી ધૂન સંર્કિતન મહાઆરતી થશે જેમાં શાસ્ત્રી ભજનીક. નટુભાઇ રાવલ, શાસ્ત્રી તરૂણભાઇ રાજયગુરૂ, ભીખુભા જાડેજા, જયકરભાઇ ખજુરવાળા, કિશોર ભગત, અરવિંદ પટેલ, રાજકોટના વિનુભાઇ મીસ્ત્રી, ભકત હરિભાઇ, કમલ ચંદારાણા વગેરે ઉપસ્થિત રહેનાર છે. દરેક પ્રહરોની મહાપુજાઓ થશે તેમ પુજારી વસંત મહારાજ અને  દિનેશભાઇ વિઠ્ઠલદાસની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(11:32 am IST)