Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

બગસરામાં નિવૃત્તિ વિદાયમાન

બગસરાઃ બીએસએનએલના અધિકારી અમૃતભાઇ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે અધિકારીઓશ્રી વ્યાસ, શ્રી સુહાગીયા, શ્રી રાવલ, શ્રી પટેલ, શ્રી જોષી, શ્રી હિરપરા, શ્રી ગલથિયા, શ્રી ધનેશા, શ્રી ટાંક, યુનિયનના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના નિતેષ ડોડીયા, મેનેજર શ્રી મહેતા, સથવારા સમાજના પ્રમુખ, સમાજ વતી સન્માન કરાયું હતું. આ તકે પાલિકા સદસ્ય અને અમૃતભાઇ પરમારના પત્ની રેખાબેનનું પણ સન્માન કરાયું હતું. વિદાય સમારંભમાં એ.વી.રીબડીયા, રાજુભાઇ ગીડા, હરેશભાઇ રંગાડીયા, મુકેશભાઇ ગોંડલીયા, પ્રકાશભાઇ રાણીંગા, વિનુભાઇ ભરખડા, સમીરભાઇ વિરાણી (પત્રકાર) ઉપસ્થિત રહ્યા હતા.

(9:32 am IST)