Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભાવનગરઃ આડા સંબંધમાં યુવકની હત્યાઃ લાશ સળગાવી દીધી

નાની રાજસ્થળી ગામનાં પ્રકાશ ગોબરભાઇ રાઠોડને મોતને ઘાટ ઉતારીને પુરાવાઓનો નાશ કરવા પ્રયાસ

 ભાવનગર તા.૮: ભાવનગર પંથકમાં આડા સંબંધના મામલે યુવાનની હત્યા કરી પુરાવો નાશ કરવા યુવાનને સળગાવી દેવાયો હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના બગદાણા તાબેના મોણપર ગામ ડુંગર વિસ્તારમાં અસ્થિઓ અને રામનો ઢગલો પડયો હોવાથી પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બગદાણા પંથકના નાની રાજસ્થળી ગામના પ્રકાશ ગોમરભાઇ રાઠોડ ઉ.વ.૨૫ નામનો યુવાન ગુમ થયો હોય તેની ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે મળી આવેલ અસ્થિઓ માનવ કંકાલનાં હોવાનું ખુલતા વધુ તપાસ હાથ ધરતાં ગુમ થયેલ યુવાનનાં ૪ અસ્થિઓ હોવાનું અને મૃતક યુવાનને મોણપર ગામની યુવતી સાથે આડો સંબંધ હોય તે અવાર-નવાર આવતો હતો અને આ યુવાન રાત્રીના સમયે મોણપર આવ્યો હતો ત્યારે કોઇ શખ્સો સાથે બોલાચાલી બાદ મારામારી થઇ હતી જેમાં યુવાનને મોતને ઘાટ ઉતારી દઇ બાદમાં હત્યારાઓએ પુરાવાઓને સગેવગે કરવા લાશને ડુંગર વિસ્તારમાં લઇ જઇ સળગાવી દીધી હોવાનું અનુમાન છે. આ અંગે પોલીસ ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે.

(11:04 am IST)