Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ખંભાળીયા પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત દંપતિના મોતથી બે પુત્રો માતા-પિતા વિહોણા

ખંભાળીયા તા.૮: દ્વારકા રોડ પર અત્રેથી પાંચકીમી દુર ખોડીયાર માતાજીના મંદીર નજીક ગત તારીખ ૨-૧ના રોજ સવારે ૧૧:૩૦ના સુમારે મો.સા.પર જઇ રહેલ પંકજભાઇ નીમાવત તથા  તેમના પત્ની આશાબેન નીમાવત ભત્રીજો કુશ પુનમ હોવાથી મંદીરએ દર્શન જતા હતા ત્યારે આ મો.સા.ને સ્વીફટ કાર ચાલકએ હડફેટ લઇ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મો.સા. સવાર પંકજભાઇ નીમાવતને ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલ જયાથી વધુ ગંભીર હાલતમાં અહમદાવાદ ખસેડવામાં આવેલ જયા સારવાર દરમીયાન ગત તારીખ ૬-૧ના રોજ પંકજભાઇનું કરૂણ મૃત્યુ નીપજ્યુ હતુ. મૃતક પંકજભાઇના પત્ની આશાબેનનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. પતી પત્ની બન્નેના મોતથી બે પુત્રોએ માતા પીતાની છત્ર છાયા ગુમાવી છે. ત્યારે બાવાજી પરીવાર વેર વીખેર થઇ જતા સાધુ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

(3:52 pm IST)