Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

સુરેન્દ્રનગરમાં મહારાષ્ટ્રની ઘટનાના વિરોધમાં રેલીઃ એસ.ટી. વ્યવહાર બંધ

એસઆરપી સહિત પોલીસ કાફલાનો ચૂસ્ત બંદોબસ્તઃ દલિત સમાજ દ્વારા આવેદન

વઢવાણ, તા. ૮ :. મહારાષ્ટ્રની ઘટનાના વિરોધમાં આજે સુરેન્દ્રનગરમાં દલિત સમાજ દ્વારા રેલી સ્વરૂપ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રેલીના લીધે સાવચેતીના ભાગરૂપે એસ.ટી. બસ વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી સહિત પોલીસ કાફલાનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આજે સવારે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને રેલી શરૂ થઈ હતી. જેમા વઢવાણ, જોરાવરનગર, રતનપર, સુરેન્દ્રનગર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા હતા.

ત્યારબાદ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવાયુ હતું.

(3:51 pm IST)