Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

મહારાષ્ટ્રની ઘટનાના વિરોધમાં કેશોદ દલિત સમાજ દ્વારા આવેદન

કેશોદ તા.૮: કેશોદ દલિત સમાજે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટનાની ન્યાયીક તપાસ કરી ગુનેગારોને સખ્ત સજા કરવાનું જણાવેલ છે.

જેમા જણાવ્યુ છે કે મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવમાં ૨૦૦ વર્ષની પરંપરા મુજબ શૌર્યદિનની ઉજવણી સમગ્ર દલિત સમાજ તરફથી શાંતિ પૂર્ણ ઉજવણી કરતા હોય તેમાં અમુક મનુવાદીઓ તરફથી તા.૦૧-૦૧-૨૦૧૮ના રોજ શૌર્યદિનની ઉજવણી કરતા દલિત સમાજ ઉપર મનુવાદીઓ તરફથી દલિત સમાજના લોકો ઉપર હીંચકારો હુમલો કરી શૌર્યદિનમાં તોફાન કરી એક દલિત યુવાનનુ મોત નિપજાવેલ છે. તેમજ આ મનુવાદીઓએ અસંખ્ય લોકોને ઘાયલ કરેલ છે. તેમજ અસંખ્ય વાહનોને નુકશાન પહોંચાડેલ છે તે ઘટનાની ન્યાયીક તપાસ કરી ગુન્હેગારોને સખ્તમાં સખ્ત સજા થાય તેવુ કેશોદ દલિત સમાજે માંગણી કરી છે.

આ સમયે સમાજના આગેવાનશ્રી બાબુભાઇ બી.રાવલીયા, ગોગનભાઇ સોંદરવા, જે.જે.પરમાર, પ્રફુલ એન.રાણવા વિ.તથા કાર્યકરો અને સમાજના તમામ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.(૧.૧૭)

(1:12 pm IST)