Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વેરાવળ મદીના પાર્કમાં કતલખાને જતા ૬ ગૌ વંશને બચાવાયાઃ બે નાશી છુટયા

વેરાવળ તા.૮: વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશને કતલખાને લઇ જતા હોય તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૬ ગૌ વંશ બચાવી લીધેલ હતા કતલખાને લઇ જતા બે આરોપીઓ દરોડા દરમ્યાન નાશી છુટેલ હતા.

આ બનાવની વિગત એવી છે કે સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ મંદિના પાર્કમાં બાવળની કાટણીની પાછળ ગૌ વંશના કતલ કરવાન ઇરાદે બેરહેમી પૂર્વક ઘાસચારો પાણી આપયા વગર રાખેલ હતા તેથી પોલીસને બાતમી મળતા દરોડો પાડેલ હતો અને છ ગૌ વંશને છોડાવેલ અને પાજળાપોર મોકલી આપેલ હતા આ દરોડામાં એક મોટરકાર, એક મોટરસાઇકલ, એક મોબાઇલ ૬૫૫૦૦ મુદામાલ કબજે કરેલ આ દરોડા દરમ્યાન બે શખ્સો નાશી ગયેલ હતા જેમાં શરીફ ચીન્નાઇની ઓળખ થયેલ છે તેથી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આ પહેલા પણ ગૌ વંશની કતલ થતા બચાવેલ હતા જેથી પોલીસે આ વિસ્તારમાં કડક હાથે કામગીરી હાથ ધરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.(૧.૧૬)

(1:12 pm IST)