Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

સાવરકુંડલા સોપારીના વેપારી સાથે આંગડીયા કર્મચારીના નામે રૂ.૮.૩૦ લાખની છેતરપીંડી

સાવરકુંડલા તા. ૮ : ફરીયાદી ઘનશ્યામભાઇ પ્રાગજીભાઇ રાદડીયા ઉ.૪૧ ધંધો વેપાર રહે. સા.કુંડલા મહાકાળી ચોક સા.કુંડલા વાળા સાવરકુંડલામાં સોપારીના હોલસેલ વેપારી છે અને તેઓ મેગ્લોરથી જથ્થાબંધ સોપારી મંગાવતા હોય. બનાવના દિવસે તા. ૧૩/૧૦/ર૦૧૭ના રોજ આ કામના આરોપી અનીલભાઇ મહેશ્વરી રહે. પાલનપુર વાળાએ ખોટુ બોલી ફરી.ને કહેલ કે હું પી.એમ. આંગડીયા મેગ્લોર ઓફીસમાંથી બોલુ છુ.

તમારે મેંગ્લોરમાં સોપારીના વેપારીને રૂપિયા મોકલવાના હોય તો આણંદ મુકામે આવેલ પી.એમ. આંગડીયાની ઓફીસમાં મોકલી દો તેમ કહેતા ફરી.એતા. ૧૩/૧૦/૧૭ ના રોજ સા.કુંડલામાં આવેલ પી.એમ.આંગડીયાની ઓફીસમાં રૂ. ૮૩૦૪પ૦ રોકડા જમા કરાવેલા અને તે રૂ. પી.એમ. આંગડીયા પેઢી આણંદ ખાતે ટ્રાન્સફર કરાવેલા અને ત્યાંથી આરોપી અમીતભાઇ ખત્રી રહે છ.ેભોયાણ તા. ડીસા. વાળાએ પોતાની ઓળખાણ આપી રૂ. ઉપાડી લઇ મેંગ્લોર પી.એમ. આંગડીયા પેઢીમાં નહી મોકલી ફરી.ને છેતરપીંડી કરી બન્ને આરોપીઓએ ગૂન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગૂન્હો કર્યા અંગેની ફરીયાદ સાવરકંુડલા ટાઉનમાં દાલખ થતા પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલે, તપાસ હાથ ધરેલ છ.ે(૬.૧૬)

(1:11 pm IST)