Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

૧૪મીએ ગોંડલમાં માંધાતા પ્રાગટય મહોત્સવઃ ભવ્ય શોભાયાત્રા નિકળશે

ગોંડલ તા. ૮ : શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત અને કોળી સેનાના સંયુકત ઉપક્રમે ગોંડલ ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવની ઉજવણી તારીખ ૧૪ જાન્યુઆરીએ કરવામાં આવનાર છે. આ તકે ૭ ભગવાતપરા માંધાતા પાર્ટી પ્લોટ ખાતેથી એક શોભાયાત્રા પ્રસ્થાન કરશે.

જે શહેરના રાજમાર્ગો પર ફરી ૧ર માંધાતા પાર્ટીપ્લોટ ખાતે વિસર્જન પામશે જયાં જ્ઞાતિભોજનનું પણ આયોજન કરવામાંં આવેલ છ.ે

અક્ષર મંદિરના કોઠારી પુજય દિવ્ય પુરૂષ સ્વામી સ્વામિનારાયણ મંદિર જુનાગઢના મુકત સ્વરૂપદાસજી રામજી મંદિરના પુજય હરિચરણદાસજી મહારાજ ભુવનેશ્વરી પીઠના ઘનશ્યામજી મહારાજ વિગેરે સંતોહાજર આશીર્વાદ પાઠશે કાર્યક્રમોના અધ્યક્ષ સ્થાને કોળી સેના ગુજરાતના સ્થાપક અને મંત્રી એવા પરસોતમભાઇ સોલંકીની ખાસ ઉપસ્થિત રહેશે તેમજ કોળી સમાજ ગુજરાતના પ્રમુખ કાળુભાઇ ડાભી રાજયકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા રાજયસભા સાંસદ શંકરભાઇ વેગડ તેમજ જસદણ ધારાસભ્ય કુવરજીભાઇ બાવળીયા કોળી સમાજ આગેવાન ભુપતભાઇ ડાભી હાજર રહેશે.

પ્રાગટય ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હિરેનભાઇ ડાભી ઉપપ્રમુખ વિજયભાઇ ગોહેલ મહામંત્રી વિપુલ જાદવ તેમજ માંધાતા ઉત્સવ સમિતિના પ્રમુખ પરેશ મકવાણા સંગઠન મંત્રી મહેશ જોશી તેમજ ખજાનચી મુકેશ મકવાણા સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે તા. ૧૩ શનિવાર સાંજે ૮ કલાકે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલુ હોય અને તા. ૧૪ રવિવાર સવારે ૯ કલાકે સરકારી હોસ્પિટલ ચોક ખાતે માંધાતા સર્કલનું ભૂમિપુજન કરવામાં આવનાર હોય સર્વેને આવવા યાદીમાં જણાવાયું છ.ે(૬.૪)

(12:02 pm IST)