Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જુનાગઢમાં રાત્રે આગની બે ઘટનાઃ સદ્નસીબે કોઇ જાનહાનિ નહિ

જૂનાગઢ તા. ૮ : જુનાગઢમાં રાત્રે આગની બે ઘટના ઘટી હતી. સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

જુનાગઢના જોશીપરામાં આવેલ કન્યા છાત્રાલય ખાતે મતરાત્રે લાકડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ થતાં મનપાના ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી.

આગ શોટ સર્કિટથી લાગી હોવાનું જણાવાયું છે. નુકસાનની વિગતો સાંપડી નહીં.

આગની બીજી ઘટના શહેરમાં મજેવડી દરવાજા બહાર આવેલ ભરત મીલના ઢોરા વિસ્તારમાં સર્જાઇ હતી. જેમાં અગ્રીમ સુમરાના રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાખ થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના મુળુભાઇ બારાઇ, રવિ ચુડાસમા અને ભાવેશ વરૂએ દોડી જઇને આગ બુઝાવી હતી.

આ બંને દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.(૨૧.૧૫)

(10:43 am IST)