Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

બોટાદના હડદડમાં સૌરભ પટેલના હસ્તે રસ્તાના કામનું ખાતમુહુર્ત

બોટાદઃ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ છે કે માર્ગ-વિકાસએ રાજયના વિકાસનું પીઠબળ છે. જયારે રાજયના દરેક ગામ-શહેર જીલ્લાને જોડતુ સુગ્રથિત માર્ગ માળખુ રાજય સરકારે વિકસાવ્યુ છે અને તેના પગલે વિકાસની પ્રક્રિયા વધુ ગતિશીલ બની છે. બોટાદ જિલ્લાના હડદડ ખાતે અંદાજે રૂ.ર.૭પ કરોડના ખર્ચે બનનાર હડદડ નાગલપર રોડનું ખાતમુહુર્ત કર્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજીતકુમાર, જીલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, પોલીસ અધિક્ષક સજ્જનસિંહ પરમાર, મામલતદારશ્રી સહિતના અધિકારી-કર્મચારીશ્રી તેમજ સંઘના પ્રમુખશ્રી મનહર માતરીયા, બોટાદ જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી પોપટભાઇ અવેઇયા, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી કિશોરભાઇ પાટીવાલા, ભીખુભાઇ વાઘેલા, ગૌતમભાઇ ખસિયા, હરેશભાઇ ધાંધલ સહિતના આગેવાનો તેમજ ભજનાનંદ આશ્રમના મહંતશ્રી આત્માનંદ સરસ્વતી તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:48 am IST)