Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

આટકોટ જય ભીમ યુવા માનવ કલ્યાણ ટ્રસ્ટનું આવેદન

આટકોટ : જય ભીમ યુવા માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ જીતેશભાઇ સોમાભાઇ દાફડાની અધ્યક્ષતામાં અત્યાચાર નિવારણ સમિતિ જસદણ દ્વારા રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આવેદન પત્ર પાઠવીને મહારાષ્ટ્રના ભીમા કોરેગાવમાં થયેલ અત્યાચાર સામે રોષ વ્યકત કર્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવી, મૃતક યુવાન રાહુલના પરિવારને તાત્કાલીક વળતર ચુકવવું. મૃતક પરિવારના પરીજનને સરકારી નોકરી આપવી. ઇજાગ્રસ્ત લોકોને તથા વાહનોના નુકસાન પેટે તાત્કાલિક વળતર ચુકવવું. બહુજન સમાજના લોકોની સાથે આવી ઘટના ફરીથી ન બને તેવી બાંહેધરી આપવા માંગણી કરી છે. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી, કરશન બામટા, આટકોટ)

(9:47 am IST)