Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ઘોઘામાં નવખંડા પાર્શ્વનાથ જિનાલયમાં

નવનિર્મિત ર૪ દેરીમાં પ્રતિષ્ઠાની ઉછામણીના આદેશો અપાશે...

ભાવનગર તા. ૮ : ઘોઘા બંદરે નવખંડા પાર્શ્વનાથ જિનાલયમાં નવનિર્મિત ર૪ દેરીઓમાં પરમાત્માની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણીના આદેશો અપાશે.

 

ઘોઘા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજન તપાસંઘ દ્વારા પ્રવચન પ્રભાવક આચાર્ય પ્રોબધચંદ્રસૂરિ મ.સા.આદિઠાણાની પાવન નિશ્રામાં આગામી મહાસુદ ૪ તા.ર૧/૧/૧૮ ને રવિવારે સવારે ૯ કલાકે પ.પૂ.ગુરૂદેવનું વ્યાખ્યાન અને ત્યારબાદ નવનિર્મિત ર૪ દેરીમાં પરમાત્માની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણીનો આરંભ થશે.

આ નવનિર્મિત ર૪ દેરીમાંથી રર દેરથી જ આદે આપવાના છે. જેમં દેરીના લાભ લેનાર ભાગ્યશાળી પરિવારને તે દેરીમાં રહેતા ૩,,૭ કે ૯ જેટલા પરમાત્માની પુનઃ પ્રતિષ્ઠા, દેરીની કાયમી ધજા ચડાવવાનો લાભ અને પરિવારના નામની તકતીનો લાભ મળશે.

આ રર દેરીની ઉછામણીનો લાભ ભારત તથા ભારત બહારના કોઇપણ ભાગ્યશાળી, કોઇપણ સંઘ કે અન્ય સાથે ભાગીદારોમાં પણ બોલી બોલીને કરી શકાશે જયારે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઇ.સ.ર૦૧૯માં ઉજવવામાં આવશે.(૬.૩)

(9:07 am IST)