Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

મોરબીમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સબનમબેનનો ફિનાઇલ પી આપઘાત

બે મહિનાની રજા બાદ હાજર થતા ફરજમાં લેવાની ના પાડતા મોતની સોડ તાણી

મોરબી તા.૭ : મોરબીમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી મહિલાએ ફિનાઇલ પીને આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ આનંદ નગરમાં રહેતા સબનમબેન આનદભાઈ પોપટ (ઉ.૨૫)તે મોરબી ટ્રાફિક બ્રિગેડમાં ૧૧ માસથી નોકરી કરતા હોય અને બે માસથી રજા પર હોય બાદમાં ટ્રાફિક બ્રિગેડની ઓફીસે હાજર થવા ગયેલ હોય દરમિયાન ટ્રાફિક બ્રિગેડના ટ્રસ્ટી નીરવભાઈ, જયેશભાઈ બોપલિયા તથા રવિભાઈ ઇન્દ્રિયાએ સબનમબેનને ટ્રાફિકમાં ફરજમાં લેવાની ના પાડતા મૃતકને લાગી આવતા ઘરે જઈને ફિનાઈલ પી જતા મૃત્યુ નીપજયું છે. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના લગન ગળાને ૫ વર્ષ થયા હતાં. બનાવ અંગે એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)