Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબી સંસ્કૃત ભારતી જનપદના ૧૨ સભ્યો દિલ્હીમાં સસ્કૃત વિશ્વ સંમેલનમાં જોડાશે

મોરબી,તા.૭: સંસ્કૃત ભરતી દ્વારા આગામી તા. ૦૯ થી ૧૧ નવેમ્બર દરમિયાન સંસ્કૃતનું સૌપ્રથમ વિશ્વ સંમેલનનું આયોજન દેશની રાજધાની દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે પ્રથમ વખત યોજાનાર વિશ્વ સંમેલનમાં ૨૨ દેશના સંસ્કૃત ભારતીના કોઈને કોઈ દાયિત્વ ધરાવતા કુલ ૪૦૦૦ થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે

જે વિશ્વ સંમેલનમાં સંસ્કૃત ભારતી મોરબી જનપદ તરફથી ૧૨ લોકો પણ આ સંમેલનમાં સામેલ થવા જઈ રહ્યા છે જેમાં અધ્યક્ષ ડો. બળવંતભાઈ પંડ્યા, સંયોજક કિશોરભાઈ શુકલ, સહ સંયોજક મયુરભાઈ શુકલ, પ્રચાર પ્રસાર પ્રમુખ હીર્નભાઈ રાવલ, સહ પ્રચાર પ્રસાર પ્રમુખ જીગ્નેશભાઈ પંડિત તેમજ ઉષાબેન પંડ્યા, બળદેવભાઈ કાચરોલા, જયદીપભાઈ ઠાકર, આશાબેન શુકલ, મનોરંજન (શાસ્ત્રી) પ્રસાદ, પાયલબેન ભટ્ટ અને ક્રિષ્નાબેન કૈસુર સંમેલનમાં ભાગ લેશે.(

(11:34 am IST)