Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

કોડીનાર વડનગરના હસમુખ સોલંકીનું ગાંધીધામ પાસે રિક્ષા પલ્ટી જતાં મોત

કોળી યુવાન પ્રાઇવેટ નોકરી કરતો'તોઃ બીજી નોકરી માટે ઇન્ટરવ્યુ આપીને આદિપુર જતો'તો ત્યારે બનાવ

રાજકોટ તા. ૭: ગાંધીધામના પડાલાના પાટીયા પાસે છકડો રિક્ષા પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા મુળ કોડીનારના વડનગરના હસમુખ લક્ષમણભાઇ સોલંકી (કોળી) (ઉ.૨૨)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

હસમુખને ગાંધીધામ, આદિપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રીના મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ કાગળો કરી ગાંધીધામ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર હસમુખ બે ભાઇમાં મોટો હતો અને આદિપુર રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો. ગઇકાલે તે બીજી નોકરી માટે ઇન્ટરવ્યુ આપીને રિક્ષામાં બેસી પરત આદિપુર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મોતથી સોલંકી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:22 am IST)