Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ભાવનગરમાં પૂ.જલારામબાપાની રંગદર્શી શોભાયાત્રા યોજાઇ

ભાવનગર : ભાવનગર ખાતે જલારામબાપાની જન્મજયંતી નિમિતે રંગદર્શી શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાવિકો શ્રધ્ધાભેર જોડાયા હતા. શહેરના ખારગેટ ખાતેથી નિકળેલી શોભાયાત્રામાં ઘોડા, બગી, કળશધારી બહેનો, મીકી માઉસ, ફટાકડા અને ડી.જે.સાઉન્ડની રંગત સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા મામાકાંઠા રોડ, દિવાનપરા રોડ, હલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ઘોઘાગેટ, મુખ્ય બજાર થઇને ખારગેટ ચોક ખાતે પરત ફરી હતી. શોભાયાત્રાને સફળ બનાવવા માટે લોહાણા સમાજના આગેવાનો તથા સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની વિવિધ તસ્વીર

(11:21 am IST)