Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

આર્થિક ભીંસથી કંટાળીને બાબરાના ખાખરીયાના વૃદ્ધનો આપઘાત

બાબરા, તા. ૭ : અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામના ખેડૂતે આર્થિક સંકડામણના કારણે આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાબરાના ખાખરીયા ગામે રહેતા અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા ધીરૂભાઇ ગોવિંદભાઇ કાચેલા (ઉ.પપ)એ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લઇને આપઘાત કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૮.૧૬)

(2:52 pm IST)