Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પાલીતાણાના કાળભૈરવ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગઢડાના એસ,પી,સ્વામીને અટકાવ્યા

મહેન્દ્રસિંહ સરવૈયાએ દરમિયાનગીરી કરતા સીએમના સુરક્ષા જવાનોએ મંદિરમાં પ્રવેશ આપ્યો

પાલિતાણાના કાળ ભૈરવ મંદિરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાયક્રમમાં હાજરી આપવા આપેલા ગઢડાના એસપી સ્વામીને સુરક્ષા જવાનોએ અટકાવ્યા હતા જોકે એસપી સ્વામીને થોડીવાર માટે રોકવામાં આવતા મહેન્દ્રસિંહ સરવૈયાએ દરમિયાનગિરી કરી હતી.બાદ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાલિતાણામાં કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા હતા  સીએમ રૂપાણી દરવર્ષે કાળી ચૌદશના દિવસે પાલિતાણામાં આવે છે. મંદિરમાં સીએમ રૂપાણીએ હવનમાં આહુતી આપી અને પૂજા-અર્ચન કર્યા. સીએમના આગમનના કારણે  સુરક્ષાના ભાગરૂપે પાલિતાણાની બજારોને બંધ કરવામાં આવી હતી. ત્યારે સીએમ રૂપાણીનું સ્વાગત કુમકુમ તિલક કરીને કરવામાં આવ્યુ હતું.

(8:44 pm IST)