Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આગાઝ ફાઉન્‍ડેશન દ્વારકેશ હોસ્‍પિટલ દ્વારા જામનગરમાં નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો

જામનગરઃ ગાંધીનગર રેલ્‍વે સ્‍ટેશન ની બાજુમાં રોશનશાપીર હોલ,જામનગર ખાતે આગાઝ ફાઉન્‍ડેશન તેમજ સહારા બેન મકવાણા અને દ્વારકેશ હોસ્‍પિટલના સહયોગથી નિઃ:શુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ રાખવામાં આવેલ હતો આ કેમ્‍પમાં સમગ્ર જામનગર શહેરના ૪૦૦ દર્દીઓ એ બહોળી સંખ્‍યામાં દવા લેવાનો લાભ લીધેલ હતો આ સર્વ રોગ નિદાન કેમ્‍પમાં દ્વારકેશ હોસ્‍પિટલના નિષ્‍ણાંત દરેક ડોક્‍ટરો દ્વારા દર્દીઓને નિઃશુલ્‍ક ફ્રી ચેકઅપ તથા દવા આપવામાં આવી હતી આ -સંગે હાજી કાદરબાપુ જુણેજા, નજીર બાબા રફાય, કાસમભાઈ એન ખફી, સિનિયર પત્રકાર ઇનાયતખાન પઠાણ, સામાજિક કાર્યકર અને મુસ્‍લિમ અગ્રણી યુસુફભાઈએ પરાસરા, અસલમભાઈ ખીલજી, બિપેન્‍દ્રસિહ જાડેજા,રિઝવાન ભાઈ જુણેજા, હનીફભાઇ પતાણી કરશનભાઈ કરમુર,રજાકભાઈ કુંગડા, અનવરભાઈ ગજન, ઈકબાલભાઈ રાવકુડા, ઉમરભાઈ સોઢ, હનીફભાઈ મલિક, રચનાબેન નંદાણીયા, આનંદભાઈ ગોહિલ, એડ.શાહબુદ્દીનભાઈ શેખ, અનવરભાઈ ગઢકાઈ, ઈસ્‍માઈલ માણેક, જુસબભાઈ ખીરા, શબ્‍બીર રાઠોડ, રફિકભાઈ હાલેપોત્રા, પત્રકાર હાજીભાઇ એસ દોદાણી, કાદર પટેલ, ઈકબાલભાઈ માઈનોરીટી ડી. હારુનભાઈ કંટારીયા, વિગેરે નામી અનામી મહાનુભાવો હાજર  રહેલ ઉપસ્‍થિત રહેલા મહેમાનોનું ભાવભર્યું સ્‍વાગત બુકે મુમેન્‍ટ સાથે આગાઝ ફાઉન્‍ડેશન ની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું  સદર કાર્યક્રમને સફળ બનાવવા આગાઝ ફાઉન્‍ડેશનના મેમ્‍બર આશિફભાઈ સમા રઈશભાઈ એમ કુરેશી,મહંમદ હુસેન એ.કાજી, સૈયદ મમદબાપુ કાદરી ઈબ્રાહીમબાપુએચ.બાનવા,નિઝામભાઈ આઈ.સફિયા, શબીરહુસેન એમ. રફાઈ, સલીમભાઈ રફાઈ, આસિફભાઈ શેખ, અખ્‍તર ભાઈ ગોરી વગેરે જહેમત ઉઠાવેલ હતી.

(1:54 pm IST)