Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભાવનગરમાં દાઉદી વ્હોરા મુસ્લીમ સમાજ દ્વારા મહોર્રમ પર્વ મનાવાયો

વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : શહેર જીલ્લાના દાઉદી વ્હોરા મુસ્લીમ સમાજ'દ્વારા આજે  તા ૭ ને રવિવારે હઝરત ઇમામ હુસૈન અને કરબલાના મહાન શહીદોની યાદમાં મહોર્રમના અસુરાનો દિવસ મનાવવામાં આવ્યો હતો . જેમા ખાસ કરીને નજમી મસ્જીદ માં શેખ કુત્બુદ્દીનભાઇ સુનેલવાલા અને ઝૈની મસ્જીદમાં મુ.મુસ્તફાભાઇ કુકસીવાલા હઝરત ઇમામ હુસૈન અ.સ. અને કરબલાના શહીદોની યાદીમાં વાએઝ ફરમાવ્યુ હતું . આસુરાની ખાસ દવાઓ કરવામાં આવી હતી . અને મગરીબ બાદ રોઝા ઇફ્તારી અને ન્યાઝના કાર્યક્રમો પણ દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાખવામાં આવ્યા હતા . આ કાર્યક્રમને સફળ બનાવવા અંજુમને બુરહાની કમીટી દ્વારા જહેમત ઉઠાવી હતી.

(6:50 pm IST)