Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમરેલી જીલ્લામાં બે ના મોત

ગઇકાલે વધુ ર૦ કોરોનાના દર્દી નોંધાયા

અમરેલી તા.૭ : કોરોના કારણે અમરેલીની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સરંભડાના ૬પ વર્ષના વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયુ હતુ. સતાવાર મૃત્યુઆંક અમરેલી જિલ્લામાં ૧૭ થયો છે. દરમિયાન અમરેલીના ૬૮ વર્ષના એક મહિલાનું પણ સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. તેમનું મૃત્યુ કોરોનાથી છે કે કયાં કારણથીથયુ છે તે કમિટીમાં નકકી થશે.

અમરેલી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ ર૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં રાજુલા હરીજનવાસ, કુંડલા, નેસડી, રોડ, સર્વોદયનગર, રાજુલાના હિંડોરણા, ધારીની નવી વસાહત, બાબરા જીઆઇડીસી, વડીયા, કુંકાવાવ પોલીસ લાઇન, વડીયા  સ્વામીનારાયણ ગુરૂકુળ, ખાંભા, ખાંભાની આનંદ સોસાયટી, શેડુભાર, અમરેલી નાગનાથ મંદિર પાછળ બે વર્ષની બાળકી સહિત ૩ કેસ ચિતલના ધારેશ્વર મંદિર પાસેા, લાઠીની આલમગીરી હોટલ હોટલ ર કેસ, સાવરકુંડલા તથા પોલીસ લાઇન અને ખાંભાના મોટા બારમણામાં પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે અમરેલી કસ્બાવાડ, લીલીયાના ટીંબડીયા, અમરેલીના ઘનશ્યામનગર, કુંકાવાવના અરજણસુખ, સરંભડા, ચિતલ પ્રાથમિક  સ્કુલ અને જાફરાબાદના શેલણાના શંકાસ્પદ કેસ હોસ્પિટલમાં દાખલ થયા છે અને તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ પુરજોશમાં ચાલુ છે.

(1:07 pm IST)