Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૧૯૩ એકિટવ કેસને પગલે કચ્છની કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ : નવા ૨૭ દર્દીઓ સાથે કોરોનાનો હાઇજમ્પ : કુલ આંકડો ૬૬૦ : મૃત્યુઆંક ૩૧

આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર સહિત ગાંધીધામમાં બ્લાસ્ટ - ૧૦ કેસ : લોકોમાં ફફડાટ

ભૂજ તા. ૭ : કચ્છમાં સતત બીજા દિવસે કોરોનાએ ૨૭ કેસ સાથે હાઈજમ્પ માર્યો છે. બેકાબૂ બનેલા કોરોનાના ભરડામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા હવે ૬૬૦ ઉપર પહોંચી છે. ૨૭ પૈકી ગાંધીધામ વિસ્તારમાં ૧૦ કેસ નોંધાયા છે. જેમાં આદિપુરમાં રહેતા અને ભુજના કેરા ગામે આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર તરીકે કાર્યરત અનિશ કમલ આસનાની કોરોનાથી સંક્રમિત થતાં બેંકના એનઆરઆઈ અને સ્થાનિક ગ્રાહકોમાં ફફડાટ મચ્યો છે.

ભુજની પટેલ ચોવીસીના માધાપર, માનકુવા, સુખપર, સામત્રા પછી આજે કેરા ગામમાં કોરોનાનો કેસ નીકળ્યો છે. અત્યાર સુધીની કચ્છની આંકડાકીય માહિતી જોઈએ તો, એકિટવ કેસમાં ભારે વધારો થયો છે, અને સંખ્યા ૧૯૫ એ પહોંચતા હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર અને અન્ય તબીબી સુવિધાઓ સંદર્ભે સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.

આ સંદર્ભે અગાઉ સામાજિક અને રાજકીય આગેવાનો કચ્છમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અંગેની માહિતી જાહેર કરવા સહિત દર્દીઓના મોત, રિપોર્ટ જાહેર કરવા સહિત સેમ્પલ વિશેની વિગતો સંદર્ભે વારંવાર રજુઆત કરી ચુકયા છે. જોકે, સરકાર સંવેદનશીલ છે, કચ્છમાં તંત્ર બેફિકર છે. કોરોનાના દર્દીઓના રિપોર્ટ મોડા જાહેર કરાતાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવનારને મોડી જાણ થાય છે. પરિણામે લોકોમાં ફફડાટ વધ્યો છે.ઙ્ગ ઙ્ગકોરોનાનાઙ્ગ દર્દીઓની આંકડાકીય માહિતી કોઈએ તો, સાજા થયેલા દર્દીઓનો આંક ૪૩૪ છે. જયારે મૃત્યુ પામનારની સંખ્યા ૩૧ અને કુલ કેસ ૬૬૦ છે.

(11:34 am IST)