Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

દેવભુમિ દ્વારકા જીલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્રોની તપાસ-મહેસુલી તપાસ-વિદ્યાથીઓ માટે લોનની અરજી મુદે રજુઆત

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમની વિધાનસભામાં રજુઆત બાદ કાર્યવાહી

જામનગર, તા.૭: ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લાના તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા લીધેલ મુલાકાતો તથા કરેલ તપાસ સબંધેના જવાબમાં માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ તેના જવાબમાં જણાવવામાં આવેલ છે કે  છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તાલુકાવાર ખંભારીયા તાલેુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રોની પૈકી ખંભાળીયામાં-૧૮, ભાણવડમાં-૧૧પ કલ્યાણપુરમાં-૩૨,અને દ્વારકામાં-શુન્ય વખત મુલાકાતો લેવામાં આવેલ હતી. જેમાં મુખ્યત્વે સ્વરછતા, વાહન,સાધન સુવિધા, સ્ટાફનીઘટ જેવા વહીહટી પ્રશ્નોની ચર્ચા તથા નિરાકરણ સંબંધી બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી.

ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમે પાંચ વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર શ્રી દ્વારા કઇ કચેરીની કેટલીવાર તપાસણી કરવામાં આવી? આ તપાસ દરમ્યાન કઇ કચેરીમાં કયા પ્રકારની ગેરરીતિ ધ્યાને આવી, તે અન્વયે સરકારશ્રી એ પગલા લીધા હતા. તે બાબતના વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતા.

ઉકત ધારાસભ્યશ્રી વિક્રમભાઇના પ્રશ્નના પ્રત્યુતરમાં મહેસુલ મંત્રીશ્રીએ તેમના જવાબમાં વિધાનસભામાં જણાવવામાં આવેલ કે પાંચ વર્ષની મહેસુલી કચેરીઓની તથા પંચાયત કચેરીઓની નિયત થયેલ પ્રશ્નાવલીમાં દર્શાવેલ બાબતોની તપાસ કરવામાં આવી હતી. તે મુજબ કલેકટરશ્રીની કચેરી-૩ ,પ્રાંત કચેરીઞ્-૩, મામલતદારશ્રીની કચેરી-૫, જિલ્લા પંચાયત કચેરી-૩, તાલુકા પંચાયત કચેરી-૪ની તપાસણી દરમ્યાન વહીવટી  ક્ષતિઓ, કેસના નિકાલમાં વિલંબ, કાર્યપધ્ધિતમાં સામાન્ય ત્રુટીઓ અને ક્ષતિયુકત કાર્યવાહી કરવામાં આવતી હોવાની બાબતો ધ્યાનમાં આવેલ હતી. જે અન્વયે ક્ષતિઓ સંબંધમાં સુધારાઓ કરવા, નિયત કાર્યવાહીમાં ,ક્ષતિ માટે ભવિષ્યમાં કાળજી લેવી,વિગેરે બાબતોથી સુચિત કરવામાં આવેલ હતા. તેમજ અગાઉ ની પુર્તતા નોંધના જવાબો ધ્યાને લઇ નિકાલ ગણવામાં આવેલ હતા.તેમજ કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને પંચાયત કચેરીનાં મેમોરેડીંગ વખતે પણ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. તે મુજબનો પ્રત્યુતર માનનીય મહેસુલ મંત્રીશ્રીએ ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમ દ્વારા પુછેલ પ્રશ્નનાં જવાબમાં આપેલ હતો.ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાથીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે લોન સંબંધી છેલ્લા પાંચ વર્ષની વિગતો અંંગે પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતો.

જેના પ્રત્યુતરમાં સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રીશ્રીએ તેમના જવાબમાં વિધાનસભામાં જણાવવામાં આવેલ છે કે ઉચ્ચ શૈક્ષણિક લોનની કુલ ૫૫ અરજીઓ મળેલ હતી. તે પૈકી ૫૪ અરજીઓ મંજુર કરવામાં આવેલ છે અને ૪ અરજીઓ કોર્ષ અમાન્ય  હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી. કોઇ અરજીઓ પડતર રહેવા પામેલ ન હતી. તે મુજબનો જવાબ પુછેલ પ્રશ્નના જવાબમાં આપેલ છે.

(1:15 pm IST)