Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ધોરાજીમાં વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ

ધોરાજી યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ધોરાજીના ઉપલેટા રોડ ઉપર વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ આ પ્રસંગે વિવિધ આયુર્વેદ વૃક્ષોનું વાવેતર સાથે પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધરેલ. પ્રોજેકટ ડાયરેકટર કિશોરભાઇ રાઠોેડ એ વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ શા માટે...? જે અંગે માર્ગદર્શન આપેલ હતું. સ્ટેટ સેક્રેટરી બી.આર. ઝાલા-ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા ધોરાજી યુનિટ સેક્રેટરી હરેશભાઇ ત્રિવેદી-કેયુરભાઇ ઉકાણી-મીતલભાઇ તારપરા- સંદિપભાઇ ગુજરાતી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. ધોરાજી યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)