Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂનું વડોદરા હોસ્પિટલમાં કોરોનાથી અવસાન સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં શોક

સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ જગ્યા તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી હતા ૧૯૮૦ની સાલમાં ૩૦ વર્ષની ઉંમરે બન્યા હતા યુવા ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ માધવસિંહની સરકારમાં દબદબો હતો

રાજુલા,તા. ૭: કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ અનેક રાજનેતા ઓ પણ અમરેલી જિલ્લામાં જીવ ગુમાવી રહ્યા છે જયારે ૨ દિવસ પહેલા બાબરાના પૂર્વ ધારાસભ્યનું અવસાન થયું ત્યારબાદ ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ અને રાજુલા જાફરાબાદ પંથકના પૂર્વ ધારાસભ્ય અમદાવાદ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવારમાં હતા સંક્રમિત બાદ કોરોના રિકવર થયો ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટમ લઇ જવાય જયાં તેમનું આજે દુઃખદ નિધન થયાના સમાચાર મળતા સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે સોશ્યલ મીડિયાના માધ્યમથી સામાજિક અગ્રણી ઓ રાજકીય નેતા ઓ દ્વારા સતત શ્રદ્ઘાંજલિ અપાય રહી છે.

પ્રતાપભાઈ સુરગભાઇ વરૂ તેમનું વતન જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ અહીંથી શરૂ કરાયેલી તેમની રાજકીય કારકિર્દી ૧૯૮૦મી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકારમાં ૩૦ વર્ષની ઉંમરે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય ચૂંટાય આવ્યા હતા રાજુલા જાફરાબાદ પંથકમાં ૧૯૮૦ ની સાલથી ૨૦૧૭ સુધી તેમનો રાજકીય રીતે દબદબો રહ્યો ત્યાર બાદ રાજકીય શેત્રે થોડા નિષ્ક્રિય થયા હતા અને ભાજપ કોંગ્રેસના અનેક દિગ્જ્જો સાથે સબંધો નજીકના ધરાવતા હતા સાથે સાથે સૌરાષ્ટની સુપ્રસિદ્ઘ જગ્યા તુલસીશ્યામ મંદીરના ટ્રષ્ટિ તરીકે હાલ સેવા ચાલુ હતી જયારે કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા સતત લોકોને સરકારની ગાઈડ લાઈન ફોલો કરવા માટે અપીલ કરતા આજે તેમનું દુઃખદ અવસાન થયું છે.

પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂના અવસાનથી નાસ્કોબ ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજયસભ્ય ના સાંસદ શકિતસીહ ગોહિલ ગુજરાત રાજયના કોંગ્રેસ પક્ષના પુર્વ પ્રમુખ ભરતસીહ સોલંકી વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય પ્રતાપ દુધાત લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર,રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ધારી બગસરાના ધારાસભ્ય જે વી કાકડીયા ભાજપ અને કોગ્રેશ સહીત સામાજિક સંસ્થાઓ દ્વારા દુઃખ વ્યકત કરી સોશ્યલ મીડિયાના માધ્યમથી શ્રદ્ઘાંજલિ અપર્ણ કરી છે.

(12:56 pm IST)