Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અમરેલી જીલ્લામાં ૨૦ મોત

અમરેલી, તા. ૭ :. અમરેલી જિલ્લામાં કોરોનાના મોતનું પ્રમાણ દર્દીની જેમ જ ઓછું થઈ રહ્યુ છે. આજે અમરેલીમાં ૧૩ અને રાજુલામાં ૩ તથા કુંડલામાં ૪ મળી કુલ ૨૦ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા.

અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં ૬, મોટા આંકડીયાના સ્મશાનમાં ૫, ેકની સમાધીવિધિ, એકની દફનવિધિ તથા રાજુલામાં રાજુલાના એક અને જાફરાબાદમાં બેની અંતિમવિધિ થઈ છે. જ્યારે કૈલાશ મુકિતધામમાં શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના હોમ કવોરન્ટાઈન મહિલા દર્દી સહિત કોરોના ન હોય તેવા પાંચ લોકોની અને ગાયત્રી મોક્ષધામમાં કોરોનાના ન હોય તેવા ત્રણ લોકોની અંતિમવિધિ થઈ હતી.

આમ અમરેલી શહેરમાં કોરોના અને વગર કોરોનાના ૧૦ શહેરીજનોના મૃત્યુ થયા છે. આજે અમરેલીમાં પ્રતાપપરાના વરૂડી રોડ પર રહેતા ૪૯ વર્ષના પુરૂષ ચિતલ રોડ ઉપર રહેતા ૨૯ વર્ષના પુરૂષ, બગસરાના ૭૯ વર્ષના મહિલા, પાણીયાના ૮૨ વર્ષના પુરૂષ, ધારીના મહિલા, બાબરાના ૪૨ વર્ષના મહિલા, પાંદડીયાના ૩૮ વર્ષના મહિલા, જાળીયાના ૩૪ વર્ષના પુરૂષ, લીલીયાના ૩૮ વર્ષના મહિલા, અકાળાના ૫૫ વર્ષના મહિલા, બરવાળાના ૮૦ વર્ષના મહિલા તથા જાફરાબાદના ૭૦ વર્ષના સ્ત્રી અને ૬૪ વર્ષના પુરૂષ અને રાજુલાના ૮૦ વર્ષના પુરૂષ દર્દી તથા સાવરકુંડલામાં ૪ કોરોડના પોઝીટીવ અને અન્ય મૃત્યુ થયા હતા. બગસરાના ૪૨ વર્ષના પુરૂષની કબ્રસ્તાનમાં દફનવિધિ થઈ હતી તથા અમરેલીના ૫૫ વર્ષના પુરૂષ દર્દીની સમાધિવિધિ થઈ હતી.

(12:49 pm IST)