Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખીરસરા દ્વારા રાશનકિટ ફૂડપેકેટનું વિતરણ

જામકંડોરણા : કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉનના લીધે ધંધા રોજગાર સદંતર બંધ સ્થિતિમાં છે મજૂરી કરીને પેટીયુ રળતા ઝુંપડામાં વસતા તેમજ ગામડાઓમાં ખેતરોમાં રહી મજૂરી કરતા લોકોને પોતાના પરિવારના ભોજનની ચિંતા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખીરસરા તથા ટીંબડીના શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામી તથા ધર્મસ્વરૂપદાસજી સ્વામીએ શાહ ભૂપતરાય મનસુખલાલના આર્થિક સહયોગથી રાશનકિટ તથા ફૂડપેકેટો બનાવીને ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના ખીરસરા, જામટીંબડી, પીપળીયા, ઝાંઝમેરા, સુપેડી, જશાપર, જામકંડોરણા જેવા અનેક ગામોમાં ખેતરોમાં તેમજ ઝુપડાઓમાં વસતા જરૂરિયાતમંદ પરિવારોને ૭૦૦ રાશનકિટ તેમજ ફૂડ પેકેટોનું જાતે જઇ વિતરણ કરી આ ભુખ્યાને ભોજનના આ સેવાયજ્ઞને જરૂરીયાતવાળા લોકો સુધી પહોચાડેલ છે. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : મનસુખભાઇ બાલઘા, જામકંડોરણા)

(11:46 am IST)