Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

નકલી દૂધના કારોબારમાં કોઇને છાવરવામાં નહીં આવેઃદોષીતો સામે ગુન્હા નોંધાશેઃ કિશોર કાનાણી

પોરબંદરમાં આરોગ્ય રાજયમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી

પોરબંદર તા. ૭ :.. અહીં ભાજપના સ્થાપના દિનની ઉજવણીમાં હાજર રહેલ આરોગ્ય રાજય મંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે નકલી દૂધના કારોબારમાં કોઇને છાવરવામાં નહીં આવે.  દૂધના નમૂના લેવા સહિત કામગીરી તથા તપાસ પુર્ણ થયા બાદ દોષીતો સામે ગુન્હા નોંધવામાં આવશે.

આરોગ્ય રાજય મંત્રીએ જણાવેલ કે જાહેર આરોગ્ય સાથે ચેડા કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.

(12:59 pm IST)