Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

કચ્છમાં એસ.ટી. કંડકટરના આપઘાત બાદ જુનાગઢમાં ડ્રાઇવરે જીવ દીધો

જુનાગઢ, તા. ૭ :  જુનાગઢમાં એસ.ટી. ડ્રાઇવરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગે પોલસ સુત્રો પાસેથી મળેલી વિગતો એવી છે કે અહીં ટીંબાવાડીમાં મંગલધામ સોસાયટીમાં રહેતા પ્રદીપસિંહ ભગવતસિંહ ચુડાસમા (ઉ.વ.પ૪) એ ગઇકાલે પોતાના ઘરે હત્યા કરી લીધી રહી.

એસ.ટી.ના ડ્રાઇવરની ફરજ બજાવતા પ્રદિપસિંહ બપોરનાં સમયે બારણુ બંધ કરીને સુતા હતા.

પરંતુ પ્રદિપસિંહ ચા ીવા રૂમની બહાર આવતાા તેમના પત્નીએ બારણુ ખટખટાવ્યુ઼ હતું જો કે રૂમનું બારણુ અંદરથી બંધ હોવાથી બારીમાંથી રૂમમાં લેતા પ્રદિપસિંહ ઇલકેટ્રીક પંખા સાથે જોવા મળ્યા હતા.

આમ પ્રૌઢે પંખા સાથે સુતલની મોતને મીઠુની લેતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. આપઘાત પાછળનું કારણ બહાર આવ્યુ઼ નથી વિશેષ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના રાપરમાં ગઇકાલે એસ.ટી.ના કંડકટર સાગર બાબુલાલ ચૌહાણ (ઉ.વ.રપ રહે. મડણા, તા. પાલનપુર) એસ પણ આપઘાત કરી લીધો હતો ત્યારબાદ આજે જુનાગઢમાં ડ્રાઇવરે આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે.

(11:40 am IST)