Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સુરેન્દ્રનગરમાં બંધ હેડપંપોને વહેલી તકે રિપેર કરવા માંગણી

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગરમાં ઉનાળામાં આર્શિવાદ સમાન હેેડપંપો ગણવામાં આવતા હોય છે. શહેરમાં અનેક હેડપંપો મૃતહાલતમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય ખર્ચે સામાન્ય રીપેરીંગ કામના વાંકે લોકોને બહોળી સંખ્યામાં ઉપયોગમાં લેવાતા આવા હેડપંપો અનેક જગ્યાઓ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે.

સરકારમાં આવા બંધ હાલતવાળા અથવા તો તુટેલા હેડપંપો રીપેરીંગ કરવા અને ચાલુ કરવા માટેની જોગવાઇ રહેલી હોય છે. આ કાર્ય કામગીરી ખાસ કરીને નગરપાલિકા પાસે રહેલી હોય છે.

આ ઉનાળાની સિઝનમાં ઉપયોગી બનતા પાણી સમસ્યાને પહોચી વળતા આવા આ હેડપંપો ચાલુ કરવા માટે લતામાં લતાવાસીઓની માંગ ઉઠવા પામી છે.

(11:30 am IST)