Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સાવરકુડંલા ગુરૂકુલમાં નેત્ર નિદાન કેમ્પ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ- સાવરકુડંલા  દ્વારા સાવરકુંડલા ગામે નેત્રકેમ્પનું દિપ પ્રાગ્ટય કરતાં સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી તથા ગામના આગેવાનો અને વીરનગરના ડોકટર દ્રશ્યમાન થઇ રહયા છે. આ કેમ્પમાં ૨૮ દર્દઓને વિનામુલ્ય મોતીયાના ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્યા જયારે કુલ ૧૮૬ દર્દીઓને તપાસ્યા હતા. ૧૭૫ દર્દીઓને આંખના ટીપા-ટયુબ અને ૫૦ દર્દીઓને બેતાળાના ચશ્મા આપવામાં આવ્યા હતા. કેમ્પના મુખ્ય દાતાપરિવાર માધવ જીનીગ અને પ્રેસીંગ પ્રા.લી.હ. શ્રી છગનભાઇ કાકડીયા તથા શ્રી રમણીકભાઇ કાકડીયા તથા કલ્પેશભાઇ કાકડીયા-મું. જસદણ તરફ થી આર્થીક સહયોગ મળ્યો હતો. દરેક દર્દીઓને ભોજનની વ્યવસ્થા દાતા પરિવાર તરફ થી કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનવવામાં શ્રી ઘનશ્યામભાઇ કનેકોટીયાએ જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની તસ્વીર

(11:29 am IST)