Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

તુવેર-ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા ધોરાજી તાલુકા ખરીદ વેંચાણ સંઘની માંગણી

ધોરાજી, તા.૭ : ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા રાજયના કૃષિ મંત્રીને સંબોધી ડે કલેકટરને આવેદનપત્ર પાઠવી તુવેર ચણા ટેકાના ભાવે ધોરાજી જેતપુર ઉપલેટા જામ કંડોરણામાંથી કોઈપણ એક તાલુકામાં સેન્ટર ખોલવા માગણી કરેલ છે.

સહકારી તંત્રના અગ્રણી રણછોડભાઈ કોયાણી આર.સી.ભૂત નીતિનભાઈ જાગાણી વગેરેએ ધોરાજી ડે કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે રાજય સરકાર દ્વારા તુવેર અને ચણા ટેકાના ભાવે લેવાનું સેન્ટર રાજકોટ ખાતે ખોલવામાં આવેલ છે. જે ધોરાજી ઉપલેટા જેતપુર જામ કંડોરણા વિસ્તારના ખેડુતોને મુશ્કેલી ભોગવવી પડે આ વિસ્તારથી ૧૦૦ કિલોમીટર દૂર થાય છે. જેથી ચાર તાલુકામાંથી કોઈ પણ એક તાલુકામાં તુવેર ચણા ટેકાના ભાવે ખરીદવાનું સેન્ટર ખોલવામાં આવે એવી માગણી આવેદન પત્રમાં કરેલ હતી.

(11:19 am IST)