Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

કોડીનારના અરણેજના વીર જવાન જીતેન્દ્ર સોલંકી શહીદ થતા ઘેરો શોક

પ્રભાસપાટણ, તા. ૭ : કોડીનાર તાલુકાના અરણેજ ગામના જીતેન્દ્રભાઇ ડી. સોલંકી રાજેસ્થાનના સુરજગઢ મુકામે આર્મીમાં ફરજ બજાવતા હતાં અને તેઓનું તા. ૪ના રોજ શહીદ થયેલ છે. તેઓનું તાજેતરમાં દિલ્હીથી રાજેસ્થાન પોસ્ટીંગ થયેલ હતું.

તેઓ કોડીનાર તાલુકાના અરણેજ ગામના વતની છે અને વેરાવળ તાલુકાના કાજલી ગામે તેમનું સાસરૂ છે. તેથી આ બંને ગામો અને વેરાવળ તેમજ કોડીનાર તાલુકામાં આ વાનની જાણ થતાં દુઃખની લાગણી ફેલાયેલ છે. તેમના મૃતદેહને રાજેસ્થાનથી આર્મીના જવાનો નીકળી ગયેલ છે અને તા. ૭-૩-૧૯ના રોજ તેમના વતન અરણેજ મુકામે પહોંચેલ છે અને ૩થી ૪ની વચ્ચે આન, બાન અને સાન સાથે તેમની સ્મશાનયાત્રા નિકળશે અને કોડીનાર મુકામે સ્મશાનમાં લાવવામાં આવશે.

તેમના પરિવારમાં તેમની પત્ની કંચનબેન જીતેન્દ્રભાઇ સોલંકી અને બે બાળકો છે. નિયતીબેન ૧૧ વર્ષ અને હર્ષિતકુમાર ૬ વર્ષના છે.

તેમની નોકરી દરમ્યાન તેઓએ દિલ્હી, જમ્મુ કાશ્મીર, વાઘા બોર્ડર, મણીપુર, ઉતરાચણ, નેપાળ બોર્ડર સહિત ૧૬ વર્ષ નોકરી કરેલ છે અને તેમની સર્વીસ દરમ્યાન ૩ મેડલો મેળવેલ છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:56 am IST)