Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

જામનગરમાં 'કરૂણા અભિયાન-૨૦૧૯' અંતર્ગત કલેકટર કચેરીના વી.સી.ખંડમાં વિડીયો કોન્ફરન્સ

જામનગર તા. ૭ : વર્ષ-૨૦૧૭ થી શરૂ કરવામાં આવેલ 'કરૂણા અભિયાન'ને       વર્ષ-૨૦૧૯માં પણ ઉત્તરાયણ વખતે તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજયના સમગ્ર વિસ્તારને આવરી લઈ 'કરૂણા અભિયાન' કાર્યક્રમનું આયોજન હાથ ધરવાનો સરકારશ્રીએ નિર્ણય કરેલ છે.જે અંતર્ગત વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી દ્વારા કલેકટરશ્રીના વી.સી. ખંડમાં કાલે તા.૮ના રોજ બપોરના ૧૨.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવેલ છે. જેમા જિલ્લાના લગત અધિકારીઓને ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર જામનગરની યાદીમાં જણાવાયું છે.(૨૧.૪)

 

(10:00 am IST)